PM Vishwakarma Yojana ભારત સરકાર દ્વારા કુશળ કારીગરો માટે Vishwakarma Yojana લાવી રહી છે. Vishwakarma Yojana નાના ધંધાર્થીઓ-વ્યવસાયકારો આગળ આવે અને તેમના ધંધાનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા તેમના ધંધા ના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અંતર્ગત લોન આપવામા આવે છે.
આ લેખમાં આપણે Gujarat PM Vishwakarma Yojana વિશે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
PM Vishwakarma Yojana | PM વિશ્વકર્મા યોજના
યોજનાનું નામ | પીએમ વિશ્વકર્મા યોજના. PM Vishwakarma Yojana |
પ્રારંભ તારીખ | 17 સપ્ટેમ્બર 2023. |
લાભ | 5% વ્યાજ દરે 2 લાખ રૂપિયા સુધીની લોન.કૌશલ્ય તાલીમ.કૌશલ્ય પ્રશિક્ષણ માટે પ્રતિ દિવસ રૂ. 500/- સ્ટાઇપેન્ડ.સાધનો ખરીદવા માટે રૂ. 15,000/-.પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ. |
લાભાર્થી | પરંપરાગત કારીગરો અને કારીગરો. |
નોડલ વિભાગ | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ મંત્રાલય. |
PM વિશ્વકર્મા યોજના શું છે?
- કેન્દ્ર સરકાર દ્વારા 18 પ્રકારનાં કારીગરોને Vishwakarma Yojana માં આપવામા આવશે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન
- 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતીના દિવસે વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવનાર છે.
- નાના કારીગરોના કૌશલ્યને પ્રમાણિત કરી તેમને તાલીમ આપવામાં આવશે.
Vishwakarma Yojana વ્યવસાયની સંપૂર્ણ યાદી
- સુથાર
- બોટ-નાવડી બનાવનાર
- સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર)
- લુહાર
- હથોડી અને ટૂલકિટ નિર્માતા
- તાળાના કારીગર
- કુંભાર
- શિલ્પકાર
- મોચી
- કડિયા
- વાળંદ
- ટોપલીટોપલા કે સાવરણીના કારીગર
- દરજી
- ધોબી
- માળી
- માછલી પકડવાની જાળી બનાવનારા
- પરંપરાગત રમકડાના કારીગર
- સુવર્ણકામ
વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના તાલીમ
- ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે.
- કૌશલ્ય ચકાસણી પછી રૂપિયા ૧૫ હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન રૂપિયા ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
- તાલીમ લીધા બાદ રૂપિયા એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની Vishwakarma Yojana માં લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ રૂપિયા બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે.
મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે
- આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે.
- આ યોજનાના લાભાર્થીની ઉંમર 18 વર્ષ કરતાં વધુ અને 60 વર્ષ થી ઓછી હોવી જોઇએ.
- અરજદારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે, પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઇએ.
- મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તો આવા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.
- સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને આ યોજનાનો લાભ નહીં મળે.
- આ યોજનાથી નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય માટે તાલીમ મળી રહેશે તથા તેમના ધંધા-વ્યવસાયના વિકાસ માટે આર્થીક મદદ માટે લોન મળી રહેશે. જેનો વ્યાજદર સામાન્ય 5 % જેટલો જ રાખવામા આવ્યો છે.