Post Office Saving Scheme: દરરોજના 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ, Post Office Bachat Yojan

Post Office Saving Scheme: નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રાધાન્ય આપતા હોય છે. મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે. પોસ્ટ ની આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના. જેમા વ્યાજદર પણ ઊંચો હોય છે.

Post Office Saving Scheme: દરરોજના 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ, Post Office Bachat Yojan

પોસ્ટ ઓફિસ બચત યોજના Post Office Bachat Yojana

પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ દેશના મધ્યમ વર્ગ માટે રોકાણ માટે પસંદગીનો વિકલ્પ હોય છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ગેરંટેડ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ એવી પણ યોજનાઓ ચલાવે છે, જેમાં તમે દર મહિને રોકાણ કરીને સારુ એવુ રિટર્ન મેળવી શકો છો. તમે દર મહિને તમારા બજેટમાંથી થોડા થોડા પૈસા બચાવી આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને આરડી એટલે કે રીકરીંગ ડીપોઝીટ ઓફર કરી રહ્યું છે, જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. તેના પર તમને વ્યાજ આપવામા આવે છે. તમે તેમાં દર મહિને ઓછા મા ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

કેટલું મળશે  પોસ્ટ RD વ્યાજ દર Post RD Interest Rate

તાજેતરમાં કેન્દ્ર સરકારે રીકરીંગ ડિપોઝિટ પર વ્યાજ ના દર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધા છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં બહુ ફેરફાર થતો નથી. તેમાં વ્યાજ ફિક્સ હોય છે. બસ તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. આવો જાણીએ દર મહિને આરડીમાં જમા કરવા પર કેટલા રૂપિયા મળશે.

દર મહિને 2000 રૂપિયાનું રોકાણ 

જો તમે રીકરીંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા પાકતી મુદતે પરત મળશે. જો તમે દર મહિને 2000 રૂપિયા રોકાણ કરતા હોય તો તમે દરરોજ ના 66 રૂપિયા પ્રમાણે વાર્ષિક 24000 નું રોકાણ કરવાનુ આવશે.. જે પાંચ વર્ષમાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 21983 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે.

દર મહિને 4 હજારનું રોકાણ

જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરતા હોય તો તમને પાકતી મુદતે પર 2,83,968 રૂપિયા મળશે. જો તમે દર મહિને ચાર હજારનું રોકાણ કરો છો તો દરરોજના 133 રૂપિયા નુ રોકાન કરવાનુ થાય. તે મુજબ વાર્ષિક 48000 રૂપિયાનું રોકાણ કરવાનુ થાય. આ પાંચ વર્ષના મુદતમા 240000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 43968 રૂપિયાનું વ્યાજ મળશે. તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા પરત મળી શકે..

Post Office Yojana માં  ખાતું કેવી રીતે ખોલવું?

  • નીચેના ફોર્મ/દસ્તાવેજો, યોગ્ય રીતે સહી કરેલ, ઇચ્છિત પોસ્ટ ઓફિસમાં સબમિટ કરો.
  • ખાતું ખોલવાનું ફોર્મ
  • KYC ફોર્મ (નવા ગ્રાહકો માટે / KYC વિગતોમાં ફેરફાર)
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ, જો આધાર પૂરો પાડવામાં આવેલ ન હોય તો નીચેના દસ્તાવેજો સબમિટ કરી શકાય છે.
  • પાસપોર્ટ 2. ડ્રાઇવિંગ લાઇસન્સ 3. મતદારનું આઈડી કાર્ડ 4. રાજ્ય સરકારના અધિકારીની સહીવાળું મનરેગા દ્વારા જારી કરાયેલ જોબ કાર્ડ 5. રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર દ્વારા જારી કરાયેલ નામ અને સરનામાની વિગતો.
  • સગીરના ખાતાના કિસ્સામાં જન્મ તારીખનો પુરાવો/જન્મ પ્રમાણપત્ર. (સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જન્મ પ્રમાણપત્ર ફરજિયાત છે).
  • સંયુક્ત ખાતા માટે, તમામ સંયુક્ત ધારકો માટે KYC દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત છે.
  • નાના ખાતા માટે, વાલીની KYC વિગતો સબમિટ કરવાની રહેશે.
  • સંયુક્ત ખાતાને સિંગલ ખાતામાં રૂપાંતરિત કરવાની અથવા તેનાથી વિરુદ્ધની પરવાનગી નથી.
  • બહુમતી હાંસલ કરવા પર, સગીરને નામ બદલવા માટે નવું ખાતું ખોલવાનું ફોર્મ અને KYC દસ્તાવેજો સંબંધિત પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવા પડશે.
  • પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-2002 મુજબ, રૂ. 10 લાખથી વધુના રોકાણ માટે, ભંડોળના સ્ત્રોતનો પુરાવો સબમિટ કરવાનો રહેશે.
  • વરિષ્ઠ નાગરિક VRS માટે નિવૃત્તિ લાભોની પ્રાપ્તિનો પુરાવો સબમિટ કરવાનો રહેશે.
  • NRI, ટ્રસ્ટ, ફર્મ, સંસ્થા/ઓફિસ/કંપની વગેરે કોઈપણ રાષ્ટ્રીય (નાની) બચત યોજના હેઠળ ખાતું ખોલવા માટે પાત્ર નથી.
  • હાલમાં PPF/SCSS/MIS/KVP/NSC ખાતું ફક્ત ચેક દ્વારા જ શાખા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે.

Leave a Comment